વડોદરા,તા.૧૭,
વડોદરા મહાનગર પાલિકાના સત્તાના નશામાં મદ બનેલા શાસકો દ્રારા સ્વાર્થ વિના સ્મશાનની કામગીરી પણ કરવામાં આવતી નહોતી. આ બાબતે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા બબ્બે વર્ષ સુધી પાલિકાની સામાન્ય સભામાં રામનાથ સ્મશાનના ધ્વસ્ત બનીને નડતરરૂપ બનેલા ઝાડનજરે દૂર કરવાને માટે પુર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પાલિકાનું તંત્ર આ બાબતે આળસ મરડીને બેઠું થવાના બદલે કુંભકર્ણની નિંદ્રા માણતું રહ્યું હતું. આખરે મુદ્દત પૂર્ણ થતા આ અધૂરી કામગીરીને પૂર્ણ કરવાને માટે આખરે પુર્વ વિપક્ષી નેતાએ જેસીબી અને કામદારોની મદદ લઈને આ રામનાથ સ્મશાનમાં આવનાર ડાઘુઓને નડતરરૂપ બનેલા ઝાડને આખરે દૂર કર્યું હતું.
તેઓએ છેલ્લા બે વર્ષથી સભામા સત્તા પક્ષને વારંવાર રજુઆત કરી હતી કે રામનાથ સ્મશાન, ગાજરાવાડી, વાડીમા જૂનું મોટુ ઝાડ પડી ગયેલ છે. જેને લઈને સ્મશાનમા આવનાર નગરજનોને તકલીફ પડે છે, એટલે એને તાત્કાલિક હટાવો. તેમ છતાં આ જનહિતનું કાર્ય બબ્બે વર્ષ સુધી કરવામા આવ્યું નહોતું. છેવટે વિપક્ષી નેતાએ ખાનગી જે.સી.બી બોલાવી આ જૂનું ઝાડ હટાવવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments