મધ્ય પ્રદેશન વિધાનસભાનું શિતકાલીન સત્ર સ્થગિત કરવામાં આવ્યું
28, ડિસેમ્બર 2020

ભોપાલ-

સોમવારે મધ્યપ્રદેશમાં વિધાનસભા સત્રની શરૂઆત થવાની હતી. પરંતુ આજે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવતીકાલે શરૂ થનારી મધ્ય પ્રદેશ વિધાનસભાનું અધિવેશન હાલ માટે મુલતવી રાખવામાં આવશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ, વિપક્ષી નેતા કમલનાથ અને સંસદીય કાર્ય પ્રધાન નરોત્તમ મિશ્રા સર્વપક્ષીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના રોગચાળા વચ્ચે ત્રણ દિવસીય વિધાનસભા સત્ર સોમવારથી શરૂ થવાનું હતું, પરંતુ હવે સર્વાનુમતે સ્થગિત કરવામાં આવ્યું છે. આ સત્રમાં લવ જેહાદ વિશે બનાવવામાં આવનાર "ફ્રીડમ ઓફ રિલિજિયન બિલ 2020" રજૂ થવાનું હતું. સર્વપક્ષીય બેઠક બાદ ગૃહ પ્રધાન અને સંસદીય બાબતોના મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે સર્વપક્ષીય બેઠકમાં કોરોના ચેપના તાજા કેસોને ધ્યાનમાં રાખીને વિધાનસભાના સૂચિત શિયાળુ સત્રને હાલના 28 મી ડિસેમ્બરથી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષી નેતાના સૂચન મુજબ ધારાસભ્યોની સમિતિ સાથે આગળના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution