રસીકરણની એપ્લીકેશનમાં સમસ્યાઓને કારણે મહારાષ્ટ્રમાં રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું
17, જાન્યુઆરી 2021

મુંબઇ-

મહારાષ્ટ્ર સરકારે શનિવારે સાંજે કહ્યું કે, રાજ્યમાં કોવિડ -19 રસીકરણ અભિયાન કોવિન એપ્લિકેશનમાં સમસ્યાઓને કારણે સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રસીકરણ માટે નોંધણીનું સંચાલન કરવા માટે આ એપ્લિકેશન બનાવી છે. શનિવારે સવારે દેશભરમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન શરૂ થયું.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે, "ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશમાં દરેક જગ્યાએ આ એપ્લિકેશનથી રસીકરણ અભિયાનના અમલીકરણમાં મુશ્કેલી ઉભી થઈ છે. અમે રસીકરણ અભિયાનને આગામી બે દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એપ્લિકેશનમાં સમસ્યાઓના કારણે ઘણા લોકોને રસી માટે સંદેશ મળ્યો નથી, જેમને શનિવારે રસી લેવાની હતી. તેમણે કહ્યું કે કો વિન એપમાં એક સમસ્યા છે, જે શુક્રવારે મોડી રાત્રે મળી આવી હતી અને શનિવારની સાંજ સુધી સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution