વિપક્ષના હંગામાના કારણે વૈકેયા નાયડુ ભાવુક થયા, વેકૈયા નાયડુએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું
11, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં હંગામો થયો છે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં આજે અધ્યક્ષ વેંકૈયા નાયડુ ગઈકાલના હંગામાનો ઉલ્લેખ કરતા ગૃહમાં ભાવુક થઈ ગયા હતા. નાયડુએ મંગળવારે સંસદમાં હંગામાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્ય સરકારને શું કરવા અને શું ન કરવા દબાણ કરી શકે નહીં. પોતાનું દુ:ખ વ્યક્ત કરતા ચેરમેન નાયડુએ લાગણીશીલ હૃદય સાથે કહ્યું કે વિપક્ષ ગૃહની ગરિમાને ભૂલી ગયો છે, આવી ઘટના ફરી ન બનવી જોઈએ. સાથે જ વિપક્ષના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ઓબીસી સુધારા બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી શકાય છે. સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું. પરંતુ લોકસભાની કાર્યવાહી બે દિવસ પહેલા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution