મોદીએ પુડુચેરી અને કેરળની નર્સ પાસે રસી કેમ મૂકાવી
01, માર્ચ 2021

દિલ્હી-

મોદી સોમવારે સવારે દિલ્હી એઈમ્સ ખાતે રસીકરણ કરાવવા માટે ગયા ત્યારે એક અદભુત સંયોગ બન્યો હતો, કે પછી રાજકીય આલોચકોની ભાષામાં બનાવવામાં આવ્યો હતો. જે હોય એ ખરું, પણ આ સંયોગ નોંધવા જેવો તો છે જ. 

નવી દિલ્હીના એઈમ્સના રસીકરણ કેન્દ્ર ખાતે મોદી ગયા ત્યારે તેમણે શેર કરેલી તસવીરમાં એકબાજુ કેરલાની નર્સ હતી તો બીજીબાજુ પુડુચેરીની નર્સી પી નિવેદા ઊભી હતી કે જેણે પોતે જ નરેન્દ્ર મોદીને રસી લગાવી હતી. વળી મોદીની તસવીરને તમે ધારીને જોશો તો ખ્યાલ આવી જશે કે તેમણે ખભે આસામનો ગમછો નાંખ્યો હતો. યોગાનુયોગ એ છે કે, આ ત્રણેય રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની છે. જો કે, સોશ્યલ મિડિયા પર ફોટો શેર કરીને મોદીએ વિપક્ષોને જવાબ આપવાની સાથે સિનિયર સિટિઝનોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, ભારતની રસી સંપૂર્ણ સલામત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution