દિલ્હી-
મોદી સોમવારે સવારે દિલ્હી એઈમ્સ ખાતે રસીકરણ કરાવવા માટે ગયા ત્યારે એક અદભુત સંયોગ બન્યો હતો, કે પછી રાજકીય આલોચકોની ભાષામાં બનાવવામાં આવ્યો હતો. જે હોય એ ખરું, પણ આ સંયોગ નોંધવા જેવો તો છે જ.
નવી દિલ્હીના એઈમ્સના રસીકરણ કેન્દ્ર ખાતે મોદી ગયા ત્યારે તેમણે શેર કરેલી તસવીરમાં એકબાજુ કેરલાની નર્સ હતી તો બીજીબાજુ પુડુચેરીની નર્સી પી નિવેદા ઊભી હતી કે જેણે પોતે જ નરેન્દ્ર મોદીને રસી લગાવી હતી. વળી મોદીની તસવીરને તમે ધારીને જોશો તો ખ્યાલ આવી જશે કે તેમણે ખભે આસામનો ગમછો નાંખ્યો હતો. યોગાનુયોગ એ છે કે, આ ત્રણેય રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની છે. જો કે, સોશ્યલ મિડિયા પર ફોટો શેર કરીને મોદીએ વિપક્ષોને જવાબ આપવાની સાથે સિનિયર સિટિઝનોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, ભારતની રસી સંપૂર્ણ સલામત છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments