કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ રહેશે કિસાન આંદોલન? જાણો રાકેશ ટિકૈતે શું કહ્યુ
22, એપ્રીલ 2021

દિલ્હી-

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન હજુ પણ ચાલુ છે. ખેડુતો દિલ્હીની સરહદ પર અડગ છે. દરમિયાન એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોના જૂથમાં હોવાને કારણે કોરોના ચેપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે 'ખેડૂત તેના ઘરે છે. અમે તેમને બીજે ક્યાં જવાનું કહીશું? શું અહીંથી કોરોના ફેલાઈ રહ્યો છે? અમે અહીં છેલ્લા 5 મહિનાથી રહીએ છીએ, આ હવે અમારું ઘર છે. ઘણા ખેડુતોને વેક્સિન અપાઇ છે પણ બીજી માત્રા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમે અધિકારીઓને અહીં શિબિર લગાવવા જણાવ્યું છે.' તાજેતરની ઇફ્તાર પાર્ટીના વીડિયો વિશે પૂછતાં ટિકૈતે કહ્યું કે લોકો એકબીજાથી દૂર બેઠા હતા. સરકારે 50 લોકોને મંજૂરી આપી પરંતુ ફક્ત 22-35 લોકો જ હતા. કોઈ એકબીજાને મળતું ન હતું, ન હાથ મિલાવતા હતા. ટિકૈતે કહ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડુતો પાછા ઘરે નહીં જાય. આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે દરેક ગામમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ મોરચા પર હાજરી વધતાં જ આ યોજનાની ઘોષણા કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution