અમદાવાદ-

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં લોકો સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લઈ રહ્યા છે. આણંદ જિલ્લાના સારસામાં સ્થાનિક લોકો અને વેપારીઓએ આવો જ નિર્ણય લઈને 24 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.

આણંદના સારસા ગામમાં કોરોનાના કેસ વધતાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છ. ગ્રામલોકોએ લીધેલા નિર્ણય પ્રમાણે 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી બજાર અને દુકાનો બંધ રાખવા ફરમાન કરાયું છે. લોકોએ નિર્ણય લીધો છે કે, સવારે 7 વાગ્યાથી સવારે 11.30 સુધી માત્ર માત્ર દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ જ દુકાનો સવારે દુકાનો ખુલ્લી રહેશે અને એ સિવાયની દુકાનો બંધ રહેશે. મોગરી,કરમસદ પહેલાં જ સ્વયંભૂ લોકડાઉ જાહેર કરી ચૂક્યા છે. હવે સારસામાં પણ સ્વયંભૂ લોકડાઉન લદાયું છે.