અમદાવાદ મહાનગરપાલિકા બોર્ડના 16 શિક્ષકો કોરોનાથી સંક્રમિત થતા ફફડાટ
28, જુલાઈ 2020

અમદાવાદ-

અમદાવાદમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા બોર્ડના ૧૬ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે બોર્ડના કુલ ૬૨૯ શિક્ષકોનું રેપિડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જે પૈકી ૧૬ શિક્ષકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. જે દરમ્યાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution