ગુજરાત સરકાર સામે રાજસ્થાનમાં ઉપવાસ પર બેઠા 28 ખેડૂતો, 3ની તબીયત લથડી
18, ડિસેમ્બર 2020

રાજસ્થાન-

સાંચોરમાં ગુજરાત સરકાર સામે ખેડૂતો ઉપવાસ પર બેઠે છે. જેમાંથી બુધવાર મોડી રાત્રે 95 વર્ષીય વૃદ્ધ સહિત 3 ખેડૂતોની તબીયત લથડી હતી. જે કારણે આ ત્રણેય ખેડૂતોને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ખેડૂતો ગુજરાત સરકાર પાસે રાજસ્થાનના ભાગના 2200 ક્યૂસેક પાણીની માગ કરી રહ્યા છે. 28 ખેડૂતો પોતાની આ માગ સાથે સાંચોરમાં ઉપવાસ બેઠા છે. સાંચોર નર્મદા નહેર પરિયોજનાની કચેરી બાહર ગત ચાર દિવસથી 2,200 ક્યૂસેક પાણી આપવાની માગ સાથે ગુજરાત સરકારના વિરોધમાં 28 ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. જેમાંથી 95 વર્ષીય વૃદ્ધ સહિત 3 ખેડૂતોની તબીયત બગડતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારે રાજસ્થાનના ભાગનું પાણી છોડ્યું નથી. રાજસ્થાનની નર્મદા નહેરમાં 2200 ક્યૂસેક પાણી મળવુ જોઇએ, પરંતું છેલ્લા એક મહિનાથી રાજસ્થાનને માત્ર 1,000થી 1,200 ક્યૂસેક આપવામાં આવી રહ્યું છે. જે કારણે નહેરના છેવાડાના ગામોસુધી પાણી ન પહોંચવાને કારણે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. રાજસ્થાનના સાંચોરમાં ગુજરાત સરકાર સામે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. જે દરમિયાન બુધવારે 3 ખેડૂતોની તબીયત લથડી હતી. જે કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આ ખેડૂતોમાં એક 95 વર્ષીય વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution