શ્રીનગર-

જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. જણાવી દઈએ કે, અવંતીપોરાના ત્રાલમાં સ્થિત નાગબેરન જંગલ વિસ્તારમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં બન્ને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ આ અભિયાનમાં સુરક્ષાદળોને મદદ કરી રહી છે. તેઓએ સાથે મળીને આ સામાન્ય અભિયાન ચલાવ્યું છે. આ માહિતી જમ્મુ -કાશ્મીર પોલીસે આપી છે. આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષા દળોએ દક્ષિણ કશ્મીર જિલ્લાના નાગબેરાન ત્રાલના જંગલ વિસ્તારમાં ઉંચા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર હજુ ચાલુ છે. જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ સેનાએ અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ પણ આ અભિયાનમાં સેનાને મદદ કરી રહી છે.