ગુજરાતમાં 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા ટેબ્લેટ મળી જશે
22, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર-

કોરોનાને પગલે ૨૦૧૯-૨૦ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજાેમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી.અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામા આવ્યો છે.સરકારે હાલ ૨૦૧૯-૨૦ના બાકી રહેલા ૭૨ હજાર અને ૨૦૨૦-૨૧ના ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ ૩ લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.

મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે અને સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીયુની ટેકનિકલ કોલેજાેના વિદ્યાર્થીઓ છે.મહત્વનું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે.ખરેખર કોરોનામા કોલેજાે બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૃર હતી ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતા.ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના બેથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ લેવલે એક હજાર રૃપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામા આવે છે.૨૦૧૯-૨૦માં જાન્યુઆરીમાં એકથી દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા, પરંતુ ૭૦થી૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્તો આવે અને વિદ્યાર્થીોને વિતરણ થાય ત્યાં માર્ચમાં કોરોનાની શરૂઆત થતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામા આવ્યા ન હતા.સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઈનિઝ કંપનીના હોવાની ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution