કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
21, ઓગ્સ્ટ 2021

કચ્છ-

2001ના ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શનિવારે બપોરે 12:08 કલાકે 4.1ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ધોળાવીરા, ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિમી દૂર ઇસ્ટ સાઉથ ઈસ્ટમાં નોંધાયું હતું. બપોરેના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા.ધોળાવીરાથી 23 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 4.1ની તીવ્રતાનો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કચ્છ જિલ્લામાં આજે બપોરે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે 12:08 વાગ્યાના અરસામાં 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.આંચકાનું કેંદ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution