સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં 4.1 ની તીવ્રતાનો અનુભવાયો ભુકંપનો આંચકો
29, સપ્ટેમ્બર 2020

રાજકોટ-

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. જામનગર, અને કચ્છ બાદ આજ રોજ જેતપુર ઉપલેટા ખાતે ભૂકંપનો આંચકો આવ્યો છે. મળતી માહિતી મુજબ જેતપુર, ઉપલેટામાં ભુકંપનો આંચકો અનુભવાયો છે. 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે બપોરે 3:49 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution