રાજકોટ-

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. જામનગર, અને કચ્છ બાદ આજ રોજ જેતપુર ઉપલેટા ખાતે ભૂકંપનો આંચકો આવ્યો છે. મળતી માહિતી મુજબ જેતપુર, ઉપલેટામાં ભુકંપનો આંચકો અનુભવાયો છે. 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે બપોરે 3:49 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે.