વલસાડ-

વલસાડ જિલ્લામાં વધતા જતા સંક્રમણને ધ્યાને લેતા દરેક ગ્રામ પંચાયત દ્વારા શનિ-રવિના દિવસોમાં લોકડાઉન નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે કપરાડા ગ્રામ પંચાયત દ્વારા પણ સાત દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી મોટા ભાગના લોકો વાપી અને વલસાડ જેવા વિસ્તારમાં રોજમદાર કરી મજૂરી કામ કરવા માટે જતા હોય છે. તેમના દ્વારા કપરાડાના મુખ્યમથક ભરાતા બજારમાં સંક્રમણ ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે તેને જાેતા કપરાડા ગ્રામ પંચાયત દ્વારા ૧૮ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો ર્નિણય કરાયો છે.

કપરાડાના સરપંચ ચેન્ડર ભાઈએ જણાવ્યું, રવિવારના રોજથી શરૂ થનારા સાત દિવસનો લોકડાઉનમાં દરેક દુકાનદારોએ જાેડાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો તેમાં જાેડાય તે માટે સહયોગ આપવા પણ જણાવ્યું છે પરંતુ તેમ છતાં પણ જાે આ સ્વૈચ્છીક લોકડાઉનનું કોઈ ઉલ્લંઘન કરશે તો તેવા દુકાનદારો સામે ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારવાનો ર્નિણય પણ કરવામાં આવ્યો છે. પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દવાખાનુ, દવાની દુકાન તેમજ ટાયર પંચરવાળાની દુકાનને આ સ્વૈચ્છીક લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે, અંતરિયાળ વિસ્તાર હોવાથી તેમજ સ્ટેટ હાઇવે નજીક હોવાને કારણે લોકોને આ જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કોઈપણ સમયે જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે જે માટે લોકડાઉનમાં આ દુકાનદારોને હાલ મુક્તિ આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસોને જાેતા હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારે સ્વૈચ્છીક લોકડાઉનનો ર્નિણય કરવામાં આવ્યો નથી. પરંતુ ગ્રામીણ કક્ષાએ વધતા જતા સંક્રમણને જાેતા ગામની તેમજ ગામમાં વસવાટ કરતા લોકોની જવાબદારી ગામના સરપંચની હોય છે અને આ જવાબદારી નિભાવવાના હેતુથી ગામના સરપંચો ખુદ આગળ આવી સ્વૈચ્છીક લોકડાઉન કરવું જાેઈએ તેવા વિચારને આધીન કપરાડાના સરપંચ દ્વારા સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો મહત્વનો ર્નિણય લેવાયો છે અને જેને વેપારીઓએ પણ વધાવી લીધો છે.