LaC વિવાદને 7 મહિના પુરા, ભારત તેની સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે'
05, નવેમ્બર 2020

દિલ્હી-

લદાખમાં ચીન સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફને સાત મહિના થયા છે. આના પર રક્ષા પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે લશ્કરી સેમિનારમાં ફરી એકવાર ભારતીય સાર્વભૌમત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. તેમણે કહ્યું કે ભારત 'એકપક્ષીકરણ અને આક્રમકતા' નો સામનો કરી પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે 'ભારત એક શાંતિ પ્રિય દેશ છે, અમારું માનવું છે કે મતભેદો વિવાદનું સ્વરૂપ ન લેવો જોઈએ. અમે સંવાદ દ્વારા મતભેદોના શાંતિપૂર્ણ નિરાકરણને મહત્ત્વ આપીએ છીએ.

સરહદ વિવાદ અંગે રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે 'ભારત સરહદો પર શાંતિ જાળવવા ચીન સાથે કરવામાં આવેલા વિવિધ કરારોનો આદર કરવા પ્રતિબદ્ધ છે. યુદ્ધને રોકવાની ક્ષમતા દ્વારા જ શાંતિ સુનિશ્ચિત થઈ શકે છે;  ક્ષમતા નિર્માણ દ્વારા અમે આ અંગે પ્રયાસો કર્યા છે. આ દરમિયાન તેણે પાડોશી દેશ પાકિસ્તાન પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન હજી પણ આતંકવાદને રાજ્યની નીતિ તરીકે વાપરવા પર અડગ છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution