અંકલેશ્વર, અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટ માં આગ ના બનાવો ના પગલે અવાર નવાર વિવાદ માં આવી છે. છેલ્લા પાંચ દિવસમાં સ્ક્રેપ માર્કેટ માં આગ નો આ ત્રીજાે બનાવ બન્યો છે. મોટા ભાગે સ્ક્રેપ માર્કેટ ના ગોડાઉનો માં કેમિકલ યુક્ત પ્લાસ્ટિક બેગો,દ્રમ, તેમજ અન્ય સ્ક્રેપના જથ્થા માં આગ ની ઘટના બનવા પામે છે ત્યારે જીપીસીબી ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શનિવાર ના રોજ ફરી આગ ની ઘટના આદર્શ સ્ક્રેપ માર્કેટ માં બની છે આદર્શ સ્ક્રેપ માર્કેટ માં આવેલ એક ખુલ્લા ગોડાઉન માં સંગ્રહ કરેલ કેમિકલ યુકત પ્લાસ્ટિક બેગો ,પ્લાસિટિક દ્રમ,સહીત ના ભંગાર ના જથ્થા માં આગ ફાટી નીકળી હતી.ફાયર બ્રિગેડ સાથે ફાયટરો આવી પહોંચ્યા હતા જાે કે આગ વધુ વિકરાળ બનતા નગર પાલિકા અને પાનોલી જીઆઇડીસી મળી ૬ જેટલા ફાયર બ્રિગેડ ની મદદ થી આગ પર કાબુ મેળવાયો હતો.