અંકલેશ્વર, અંકલેશ્વર શહેર ના મેવાડા ફળિયામાં એક મકાન ધરાશય થતા બે બાઈકો અને ઘરવખરી ના સામાન ને ભારે નુકશાન થવા પામ્યું હતું જાે કે મકાન માલીક પરિવાર સાથે બહારગામ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ના મેવાડા ફળીયા માં રહેતા દિપક સોની ના મકાન ની બાજુમાં અન્ય એક મકાન નું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન દિપક સોની નું મકાન અચાનક ધરાશય થતા આસપાસ ના રહીશો ઘર ની બહાર નીકળી ગયા હતા જાે કે દિપક સોની તેમના પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી જાે કે મકાન ધરાશય થતા ઘરવખરી તેમજ મકાન પાસે પાર્ક કરેલ બે બાઈકો પર કાટમાળ પડતા મોટું નુકશાન થવા પામ્યું હતું ,