જામનગર, જામનગર જિલ્લા સહીત અનેક સ્થળોએ અનેક વખત ચોરી કરી નામચીન બની ગયેલો હુસેન ઉર્ફે હુસનાને ન્ઝ્રમ્ સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડીયા અને હરદીપભાઈ ધાંધલ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં જામનગરમાં પાંચ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યાં છે. બીજી તરફ આરોપીની પૂછપરછમાં દાગીના ખરીદનારા સોનીની પણ સંડોવણી ખુલી છે. પોલીસે હાલ સોનીને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

જામનગરમાં હરીયા સ્કૂલની પાછળ, જેનદેરાસર પાસે રહેતા ભરતભાઇ કાંતીલાલ કારીયા આજથી આશરે અઢી-ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ગયા હતા, ત્યારે પાછળથી કોઇ અજાણયા ઇસમે ફરીયાદીના મકાનના તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૪૦,૯૧૩ની ચોરી કરી હતી. જેથી ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.માં અજાણયા ઈસમ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.આ ઉપરાંત યાદવનગરમાં રહેતા ઉમૈદભાઇ ભીમાભાઇ રાઠોડ તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયા હતા. આ દરમિયાન કોઇ અજાણયો ઈસમે તાળા તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૮.૮૫૦/ની ચોરી કરી હતી. ત્યારે ૩ માસ પૂર્વેની આ ચોરીની ઘટનામાં જામનગરનો કુખ્યાત ચોર હુસનો સંડોવાયેલ હોવાની એલસીબીને હકીકત મળી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આ શખ્સ ચાંદી બજાર આસપાસ હોવાનું સામે આવતા એલસીબીની ટીમે ચાંદી બજાર પહોચી વોચ ગોઠવી હતી. જ્યાં શંકાસ્પદ હાલતમાં નીકળેલા હુસનાને પોલીસે આંતરી લીધો હતો. એલસીબીએ આરોપી હુશેનભાઇ ઉર્ફે હુશનો ચોર અલીભાઇ જાેખીયા રહે. ધરારનગર-૧, સલીમબાપુના મઢેશા પાસે, જામનગર વાળાના કબ્બામાથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫૩,૨૫૦ તથા રોકડ રૂપિયા ૩૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૫,૨૫૦નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવ્યો છે. હુસનાએ ચોરી કરી અમુક મુદ્દામાલ જામનગરના સોની સનત પાલાને વેચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે સોની વેપારી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.