માંડવી, માંડવી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઐતિહાસિક પુરુષ મરાઠા સમ્રાટ શિવાજીનાં જન્મ જયંતિ નિમિતે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં રેલી દત્ત મંદિર થી નીકળી સમગ્ર નગરમાં ફેરવવામાં આવી હતી. આ રેલીમાં લગભગ ૨૦૦ થી વધુ બાઇક ચાલકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજની વેળાએ સુપડી વિસ્તાર ખાતે ઉદબોધન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાધ્વી સમાહિતા દીદી દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને શિવાજી મહારાજની ગાથાઓ જણાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટા પ્રમાણનાં હિન્દુ ભાઈ બહેનોએ હાજરી આપી પોતાના સનાતન ધર્મ અને મર્દ મરાઠા શિવાજી મહારાજની ગાથાઓ સાંભળી ધન્યતા અનુભવી હતી. આયોજકો દ્વારા રેલીમાં ડી.જે. વગાડવાની પરવાનગી માંગતા પરવાનગી ન મળતા સંગઠનનાં સભ્યો દ્વારા ધરાણા કરાયા હતા. પરંતુ માંડવી પી.એસ.આઈ. દર્શન રાવ સરકારની ગાઈડલાઈન હોવાથી તસ થી મસ ન થઈ પરવાનગી ન આપતા. સંગઠનનાં વડીલો દ્વારા સમજાવતા ડી.જે. નો કાર્યક્રમ મોકુફ રાખી રેલી કાઢવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments