હૈદરાબાદ-

આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લાના વલ્દુરતી મંડળના મદારપુર ગામ પાસે નેશનલ હાઈ-વે નંબર 44 પર રવિવારે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બાબતે પોલીસે કહ્યું હતું કે, મદનપલ્લી વિસ્તારના ચિત્તૂર જિલ્લાના કેટલાક યાત્રીઓ રાજસ્થાનના અજમેર ખાતે યાત્રાએ જઈ રહ્યા હતા. દુર્ઘટના સમયે વાહનમાં 18 લોકો સવાર હતા. આ ઘટના કુરનૂલથી અંદાજે 25 કિલોમીટર દૂર મદાપુરમ નજીક બની હતી. આ અકસ્માત સવારે 4 કલાકે સર્જાયો હતો. દુર્ઘટનામાં ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે. જે લોકો માર્યા ગયા છે એ લોકોમાં 8 મહિલાઓ પાંચ પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. બે બાળક સહિત બીજા ચાર જણાંને ગંભીર ઈજાઓ થઈ છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.