હૈદરાબાદ-
આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લાના વલ્દુરતી મંડળના મદારપુર ગામ પાસે નેશનલ હાઈ-વે નંબર 44 પર રવિવારે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાબતે પોલીસે કહ્યું હતું કે, મદનપલ્લી વિસ્તારના ચિત્તૂર જિલ્લાના કેટલાક યાત્રીઓ રાજસ્થાનના અજમેર ખાતે યાત્રાએ જઈ રહ્યા હતા. દુર્ઘટના સમયે વાહનમાં 18 લોકો સવાર હતા. આ ઘટના કુરનૂલથી અંદાજે 25 કિલોમીટર દૂર મદાપુરમ નજીક બની હતી. આ અકસ્માત સવારે 4 કલાકે સર્જાયો હતો. દુર્ઘટનામાં ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે. જે લોકો માર્યા ગયા છે એ લોકોમાં 8 મહિલાઓ પાંચ પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. બે બાળક સહિત બીજા ચાર જણાંને ગંભીર ઈજાઓ થઈ છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments