અમદાવાદ: જાહેર માર્ગ પર યુવકને ગુપ્તાંગમાં છરીઓના ઘા ઝીંકી હત્યા
06, એપ્રીલ 2021

અમદાવાદ-

અમદાવાદના નરોડા મેમકો રોડ પર રવિવાર મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક યુવાન રસ્તા પર સૂતેલો દેખતો હતો. પોલીસે યુવાનની તપાસ કરતા તેનું મોત થયું હતું. તેમજ તેના ગુપ્તભાગમાં છરીઓના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશન અને હાલ અમદાવાદમાં મંજૂરી કામ કરતા જીતેન્દ્ર રામ ભરોસે કુશવાહએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેકે, તેનો કાકાનો દિકરો રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે મજૂરીકામ કરિને એક વ્યક્તિ સાથે બહાર ગયો હતો.

ત્યારબાદ જીતેન્દ્ર ઘરે સૂતો હતો. ત્યારે તેના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો કે, બચ્ચનની લાશ નરોડા રોડ પાસે પડી છે ત્યાં જઈને જાેતા બચ્ચનના ગુપ્તભાગના તેમજ પાછળના ભાગે છરીઓના ઘા મરેલા હતા. પરંતુ કોણે આ હત્યા કરી તે વિશે કોઈને જાણ ન હતી. હાલ શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution