અમદાવાદ

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 કલાકે લાગુ કરાયેલા કરફ્યુનો આજે સોમવારે સવારે 6 વાગ્યે અંત આવ્યો. આવે આજથી રાજ્યના 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 કલાકથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો અમલ થશે. અમદાવાદમાં કરફ્યુના ચુસ્ત અમલ બાદ લાપરવાહ લોકોએ હદ વટાવી છે. આજે જમાલપુર માર્કેટમાં ખરીદી માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અહીં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. કેટલાક ગ્રાહકો અને વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા.રાજકોટ, સુરત અને વડોદરામાં પણ સવારથી સવારથી રસ્તા પર લોકોની અવરજવર વધતી જોવા મળી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પોલીસ નિયમોનું કડક પાલન કરાવે તે જરૂરી છે.