અમદાવાદ-
દિવાળી પછી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા સરકાર એક્શનમાં આવી છે અને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય મહાનગરોમાં કર્ફ્યૂ લાદી દેવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે AMCએ અમદાવાદની સૌથી મોટી બે ક્લબ કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ કરવાની અપીલ કરી હતી. આ અપીલને બંને ક્લબ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને થોડા સમય માટે ક્લબની પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી ત્યાં આવતા લોકોના સ્વાસ્થ્યને પણ બચાવી શકાય અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને કોરોના સંક્રમણ ન વધે અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબને થોડા સમય માટે ક્લબની પ્રવૃત્તિઓ બંધ રાખવાની અપીલ કરી હતી. જેના અનુસંધાને ક્લબ દ્વારા આ અપીલને સ્વીકારવામાં આવી છે અને ઓછામાં ઓછા એક મહિના સુધી ક્લબની દરેક પ્રવૃત્તિઓ બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments