અમદાવાદ-

એરપોર્ટના VVIP લોનજમાં PM મોદીએ બેઠક યોજીતૌકતે સાઈકલોન બાબતે બેઠક શરૂ બેઠકમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મહેસુલ સચિવ પંકજ કુમાર અને ડિઝાસ્ટર સચિવ હર્ષદ પટેલ રહ્યા હાજર રહ્યા છે. સૌરાષ્ટ્રમાં તાઉ- તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર પહોંચ્યા છે અને ત્યાંથી તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તૌકતેથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગયા હતા. વાયુસેનાના હેલિકોપ્ટરમાં પીએમ મોદી અને રાજ્યના સીએમ વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને અમદાવાદ પહોચ્યા હતા.