રાજપીપળા 

દેડીયાપાડામાં સૌથી વધુ-૧૨૨ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૨ મિ.મિ વરસાદ નોંધાયો છે.આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૯૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૯ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં સરેરાશ કુલ ૯૨૬ મિ.મિ વરસાદ નોંધાયો છે.

કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૧૮ ટકા જેટલો વરસાદ સુધીમાં નોંધાયેલ છે. ગત ૨૩મી ના રોજ જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં સરેરાશ ૪’’ થી ૫’’ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળાશયમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે ૨૪ મી ઓગષ્ટનર્સ રોજ બપોરના ૧૨ઃ૦૦ કલાકે કરજણ જળાશયની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાઈ છે.જયારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૭૪.૧૭ ટકા, પાણીની આવક ૧૮,૯૪૭ અને રેડીયલ ગેટ નંબર ૨,૪,૫,૬ અને ૮ એમ કુલ ૫ ગેટમાંથી ૪૦,૪૯૫ કયુશેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૪૧૨ કયુશેક સહિત કુલ ૪૦,૯૦૭ કયુશેક પાણી રૂલ લેવલ ૧૦૯.૭૪ મીટર જાળવવા માટે છોડવામાં આવી રહેલ છે. બંધમાંથી છોડવામાં આવતા આ પાણીના પ્રવાહને લીધે નીચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના ગામો રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનનને દૂર રાખવા સાવચેત રહેવા જણાવાયેલ છે.જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૨૬.૭૧ મીટર, કરજણ ડેમ-૧૧૦.૨૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૯ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૫૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૯ મીટર છે.