ઇસ્લામાબાદ-
તૂર્કીને પાકિસ્તાનનો મિત્ર દેશ માનવામાં આવે છે. તેણે પણ પોતાને ત્યાં રહેતા ૪૦ પાકિસ્તાનીઓને કાઢી મૂક્યા. દેશવટો કરાતા આ પાકિસ્તાનીઓ ઇસ્લામાબાદ એરપોર્ટ પર રહેવા મજબૂર થયા છે.
પાકિસ્તાનના અગ્રણી અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીએએ ૪૦ પાકિસ્તાનીઓના પ્રત્યાર્પણની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે આ પાકિસ્તાનીઓ તૂર્કીના વિવિધ શહેરોમાં રહેતા હતા. ત્યાંથી તેમને પાછા ઇસ્લામાબાદ રવાના કરી દેવાયા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પર તૂર્કીથી મોકલાયેલા આ પાકિસ્તાનીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે બંને દેશોના એનજીઓ (બિન સરકારી સંગઠનો)એ સમજૂતિ કરી છે. તેના થકી આ લોકોની મદદ કરવામાં આવી રહી છે.
તૂર્કીએ ૧ એપ્રિલ ૨૦૧૯માં પણ ગેરકાયદે વસેલા ૪૭ પાકિસ્તાનીઓને કાઢી મૂક્યા હતા. તેમને એક ખાસ વિમાનમાં શારજાહના માર્ગે ઇસ્લામાબાદ લવાયા હતા. તે જ વર્ષે દેશમાં ગેરકાયદે પ્રવેશી રહેલા ૭ અન્ય પાકિસ્તાની નાગરિકોને પણ પકડી લેવાયા હતા. તેમને ટીકે-૭૧૦ ફ્લાઇટથી પાકિસ્તાન પાછા મોકલી દીધા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments