રાજકોટ-

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા કોરોના સંક્રમિત થયા છે. સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા તેઓએ પોતે કોરોનાગ્રસ્ત હોવાની માહિતી આપી છે. જોકે, હાલ સાંસદ કાછડિયાની તબિયત સારી છે. તેઓએ છેલ્લા 7 દિવસમા પોતાના સંપર્કમા આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.

અમરેલીના સાસંદ નારણ કાછડયિા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. પરંતુ ગઈખાલે જ પોતે INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા.