ગાંધીનગર-

ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરનું સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર ૧૨મી જુલાઇથી ભક્તો માટે પુનઃ ખોલવાનો ર્નિણય કર્યો છે. ગત નવ એપ્રિલથી અક્ષરધામ મંદિર કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ અષાઢી બીજને સોમવારથી ૧૦ઃ૦૦થી અક્ષરધામ મંદિર ખુલ્લુ રહેશે. જાેકે આ સિવાય દર સોમવારે અક્ષરધામ મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. અક્ષરધામ મંદિરમાં થતા વોટર શોથી માંડીને તમામ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. જાેકે નીલકંઠ અભિષેક માત્ર બંધ રાખવામાં આવશે.

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર સોમવારથી ખુલી રહ્યું છે. એક યાદીમાં જણાવ્યા અનુસાર, દર્શન કરવા માટે હાલનું સમયપત્રક સવારે ૧૦ઃ૦૦ કલાકથી થી ૭ઃ૩૦ કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે ૭ઃ૪૫ કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે. દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરી રાખવાનું રહેશે. તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે.