આંણદ: વાસદ ગામ નજીક ST બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત, કિન્નરનું મોત 
13, નવેમ્બર 2020

આણંદ-

આંણંદના વાસદ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાસદ ગામ ગેટ પાસે અકસ્માતમાં કિન્નરનું મોત નિપજયું હતું. ST બસ અને ખાનગી વાહન વચ્ચે થયો હતો અકસ્માત જેમાં બસ ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માતમાં એક ઘાયલ થયો હતો. અકસ્માતમાં અન્ય બે ગાડીઓને પણ નુકશાન થયું હતું.

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાણવા મળી ત્ર્હ્યું છે કે, વાસદ નેશનલ હાઇવે પર ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution