ફ્રાન્સ સાથેના સંબંધો તોડી બોયકોટ કરવા આવેદનપત્ર
05, નવેમ્બર 2020

વડોદરા, તા.૪ 

સમગ્ર વિશ્વમાં મુસ્લિમોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે રોષ વ્યક્ત કરી ફ્રાન્સનો બોયકોટ કરવામાં આવે તેવી માગ સાથે શહેર કોંગ્રેસ માઈનોરિટી સેલ વિભાગ દ્વારા આવેદનપત્ર આપવામાં

આવ્યું હતું.

જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારત દેશના અને સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજની પાસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન માફી માગે અને પોતાના શબ્દો પાછા ખેંચે અને આ બાબતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે આ બાબતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાટાઘાટો કરી મુસ્લિમોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચેલી હોઈ ભારત સરકાર તરફથી આ ઘટનાની નિંદા કરી વિરોધ દર્શાવવામાં આવે અને ફ્રાન્સ દેશની જાેડેના તમામ સંબંધો તોડી નાખવામાં આવે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ફ્રાન્સ દેશનો બોયકોટ કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution