દિલ્હી-

દેશમાં કોરોનાના મર્યાદીત બનેલા સંક્રમણ વચ્ચે એક બાદ એક રાજયોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. તે વચ્ચે ઓડીસામાં બે શાળાઓમાં 33 વિદ્યાર્થીઓ પોઝીટીવ બનતા ચિંતાની લાગણી ફરી વળે છે અને તાત્કાલીક આ બન્ને શાળાઓ ફરી બંધ કરવાનો આદેશ અપાયો છે. રાજયના બારઘર અને ધેંકનાલ જીલ્લામાં બે શાળાઓના 33 વિદ્યાર્થીઓ પોઝીટીવ જાહેર થયા હતા. આ શાળાઓમાં ધો.10 થી 12નો અભ્યાસક્રમ શરુ કરાયો હતો અને તા.26 જુલાઈથી તે શરુ થઈ હતી. રાજયમાં 18 વર્ષથી નીચેની વયના 93 વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં પોઝીટીવ જાહેર થયા છે. રાજયના શિક્ષણમંત્રીએ જાહેર કર્યુ કે બાળકો કઈ રીતે સંક્રમીત બન્યા તેથી મળવાના આદેશ અપાયા છે તથા તમામ શાળાઓમાં ઈન્ફેકશન વિરોધી પગલા લેવા સેનેટાઈઝેશન વધારવા સહિતના આદેશ અપાયા છે.