પવિત્ર આઠમ નિમિત્તે આજે માતાજીના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વડોદરાના રાજમાતા શુંભાગિની રાજે , મહારાજા સમરજિત સિંહ તથા મહારાણી રાધિકા રાજેએ આજે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા. જ્યારે ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાના મંદિરે તથા પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.