વડોદરા શહેરના વિવિધ સર્કલો પર પ્રજા દ્વારા સરકાર અને નેતાઓની સામે આક્રોશ વ્યક્ત કરતા બેનરો લાગ્યા છે.જેમાં કોરોનાની મહામારીમાં જ્યારે પ્રજા અસહ્ય વેદના વેઠી રહી છે.ત્યારે નેતાઓને મળતી સુવિધાઓમાં પણ ૫૦ ટકા કાપ મુકવો જોઈએ. ઉપરાંત સરકારી કચેરીઓમાં સીસીટીવી લગાડવા, જ્યાં સુધી ગુજરાતનું દેવું પાટે નહિ ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો સહિતના તંત્ર અને નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્તા બેનરો લાગ્યા હતા.