ભાવનગર: સિહોરના ટાણા વરલ રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા
18, જાન્યુઆરી 2021

ભાવનગર-

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતા મુકેશભાઈ સવજીભાઈ બાબરની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે હત્યાનો બનાવ બન્યો છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મૃતદેહને ટાણા અને વરલ રોડ વચ્ચે ફેકી દઈ આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. સવારે રસ્તા પર યુવકનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મરણ જનાર યુવક ટાણા ગામે પ્રાઈવેટ દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો તેમ જ રાત્રીના સમયે ઘરે જતાં સમયે બનાવ બન્યો હોવાની માહતી મળી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સિહોર તાલુકાના ટાણા અને વરલ રોડ વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા સમગ્ર સિહોર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે જઈ યુવકનો મૃતદેહ સિહોર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution