રાજકોટ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સૌરાષ્ટ્રમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે ભાજપ દ્વારા વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ વિધાનસભાની બેઠક પર નિમવામાં આવેલા પ્રભારીઓની આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષની આગેવાની હેઠળ રાજકોટમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ૪૮ જિલ્લાના પ્રભારી સાથે તેમની બંધ બારણે બેઠક શરુ થઈ હતી.આ બેઠક અંગે ભાજપના સ્ઁ વિનોદ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બેઠકમાં ખાસ તો સંગઠન મજબૂત કઈ રીતે કરવું એ અંગેનું સૂચન આપવામાં આવશે. સાથોસાથ બી.એલ.સંતોષ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.
જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.નોંધનીય છે કે, બી.એલ.સંતોષની ગુજરાત મુલાકાત અગાઉ જ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના વિભાગ છીનવાઈ ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય જ છે કે આખરે તાત્કાલિક એવી તો શું જરૂર ઊભી થઈ કે આ નોબત આવી ચડી. ભાજપ સંગઠનના બી.એલ. સંતોષ ગુજરાત મુલાકાતે છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં આવનારા બે મોટા ફેરફાર પૈકીનો એક ફેરફાર ગુજરાતની પ્રજાએ જાેઈ લીધો છે. હવે બીજાે ફેરફાર કેટલો આંચકો લાવે છે તેની રાહ જાેવાઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments