ભાજપના નેતા દિલીપ સંઘાણી અને તેમના પત્ની કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી
22, ડિસેમ્બર 2020

અમદાવાદ-

ભાજપનાં દિગ્ગજ નેતા અને અમરેલી ભાજપનાં એપી સેન્ટર ગણાતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં દિલિપ સંઘાણીએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. કોરોના મહામારીમાં નાના વ્યક્તિથી લઇ જન પ્રતિનિધિ અને નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સંઘાણીના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. અમરેલી જિલ્લામાં સંઘાણી દંપતી કોરોનાગ્રસ્ત થયા છે.રાજનેતા દિલીપ સંઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેઓ અને તમેના પત્ની કોરોના પોઝીટીવ આવેલ છે જેથી તેઓના સંપર્કમાં આવેલા લોકો સાવચેતી રાખે અને ટેસ્ટ કરાવી લે. દિલીપ સંઘાણી ગુજકોમાસોલના ચેરમેન છે. ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના પોઝીટીવ આવતા ભાજપના ખેમામાં ચિંતા પ્રસરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution