અમદાવાદ,પશ્ચિમ બંગાળમાં કાર્યકરો પર હૂમલાના વિરોધમા અમદાવાદમાં ભાજપ સમર્થકોએ ધરણાં યોજ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર થયેલ હુમલા અને તેમના પરિવારો અને મહિલાઓ ઉપર કરેલ અમાનવીય કૃત્ય વખોડી કાઢવા ભારતભરમાં ભાજપાના કાર્યકરો પ્રતિક ધરણા કરી રહ્યા છે. કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ થાય છે આજ રોજ અમદાવાદ ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા કર્ણાવતી શહેર મહામંત્રી કૌશિક જૈન અને અન્ય કાર્યકરો જાેડાયા હતા.