સરમારીયા ગામમાં ૮૦ વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરાયું
20, જાન્યુઆરી 2021

ઝાલોદ

ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે રોટરીક્લબ દાહોદ તેમજ માતૃ શક્તિ માનવસેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સારમારીયાના સંયુક્ત ઉપક્રમે ગામની વિધવા બહેનોને ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રોટરીક્લબ દાહોદના પ્રમુખ ડૉ.મંજુલાબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સારમારીયા ગામની ૮૦ જેટલી વિધવા બહેનોને ગરમ ધાબળાનું વિતરણ કરી જાહેર સેવાકાર્ય કરી મહત્વનું કામ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોરોના મહામારીની તમામ ગાઈડલાઈનનું પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સ તેમજ હેન્ડ સેનેટરાઈઝ સાથે માસ્કની તકેદારી રાખવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution