દાહોદ-

જિલ્લાના ડાંગરીયા ગામે એક વૃક્ષની નજીકમાંથી એક સાથે 3 યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. વહેલી સવારે મૃતદેહોને જોઈ પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્‌ભવવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે ખેતરમાંથી 3 યુવકોના મૃતદેહ મળી આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી ગઈ છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા ? જે અંગે પાલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. 3 મૃતદેહોને પોસ્ટમાટમ માટે મોકલવામાં આવ્યા છે.