- વડોદરા : ગઈકાલે થયેલા ઝઘડાની અદાવતના આજે મોડી સાંજે સોમા તળાવ બ્રિજ નીચે ઉગ્ર પડઘા પડયા હતા. ગકાઈલે સમાધાન થયા બાદ આજે ૬ થી ૭ લોકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી યુવાનને ઘેરી લઈ ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે હુમલાખોરોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
- શહેરના દંતેશ્વર નજીક આવેલ વિજયનગર ઝુંપડપટ્ટી રેલવે લાઈનની બાજુમાં રહેતો અને છૂટક મજૂરીકામ કરતો નિતેશ સંજયભાઈ રાજપૂત (ઉં.વ.ર૩)ને ગઈકાલે તેના જ વિસ્તારના સામેની લાઈનમાં રહેતા કેટલાક યુવાનો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જે તે સમયે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. પરંતુ સામેની સાઈડે રહેતા લોકોએ ઝઘડાની અદાવત રાખી આજે રાત્રિના સમયે ૬ થી ૭ લોકો તીક્ષ્ણ હથિયાર જેવા કે ધારિયું, તલવાર, ધારદાર ચાકૂ લઈને ધસી આવ્યા હતા અને નિતેશને સોમા તળાવ બ્રિજ નીચે બોલાવીને તેને ઘેરી લીધો હતો અને તે કંઈ પણ સમજે એ પહેલાં જ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી નિતેશ રાજપૂતનું ઢીમ ઢાળી દીધંુ હતું. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે હુમલાખોરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments