ક્રિસમસની ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ  સંયમિત ઉજવણી માટે વડોદરાના ચર્ચ સજ્જ
24, ડિસેમ્બર 2020

ઇસુ વર્ષ-૨૦૨૦ના અંતિમ તહેવાર નાતાલ(ક્રિસમસ)ને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. વડોદરામાં ફતેગંજમાં આવેલ ઐતિહાસિક ચર્ચ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ચર્ચ અને દેવળો આ વખતે નાતાલના દિવસે બંધ રહેશે. આ ઉપરાંત નવા વર્ષના વધામણા માટે ચર્ચમાં યોજાતી પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે, જાે કે નાતાલ પર્વને લઈ દેવળો આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution