અરવલ્લીમાં ૫ મોબાઇલ પશુવાનનો પ્રારંભ
30, જુન 2020

અરવલ્લી,તા.૨૯ 

સમગ્ર રાજ્યના પશુપાલકોને ઘરઆંગણે તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર મળી રહે તે રાજય વ્યાપી પ્રારંભ કરાયેલા મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવેલી ૫ મોબાઇલ પશુ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પરમાર અને ધારાસભ્યોની ઉપસ્થિતમાં જિલ્લા પંચાયત કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.રાજ્યના પશુપાલકોને સરળતાથી ઘરઆંગણે નિ;શુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી ય્ફદ્ભ સંચાલિત પી.પી.પી મોડેલથી ૧૦ ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અરવલ્લી જિલ્લાને પ્રથમ તબક્કામાં ૫ મોબાઇલ પશુ દવાખાનારૂપે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. આ યોજનાથી પશુપાલકો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર ફોન કરી પાલતું પશુઓ માટે ૩૬૫ દિવસ ઘરઆંગણે નિ;શુલ્ક પશુસારવાર કરાવી શકશે.પશુપાલકો માટે આશીર્વાદરૂપ સમાન આ યોજના અંગે જણાવતા જિલ્લા પશુપાલન અધિકારી ચૌહાણે કહ્યુ હતું કે, પશુપાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા-લઈ જવામાં પડતી મુશ્કેલીઓ દૂર થતા આ નિઃશુલ્ક સેવાથી પશુઓની સારવાર ઘરબેઠાં કરાવી શકશે. જેનાથી અરવલ્લી જિલ્લાના ૯. ૨૦ લાખ પશુધનને લાભ મળશે. કરૂણા એમ્બ્યુલન્સના પ્રસ્થાન વેળાએ ભિલોડાના ધારાસભ્ય ડા.અનિલ જોષીયારા,બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ડા. અનિલ ધામેલીયા સહિત પશુપાલન વિભાગના સ્ટાફગણ ઉપસ્થિતિ રહ્યા હતા.

જિલ્લાના કયા કયા ગામોને લાભ મળશે : ધનસુરાના રમોસ, આમોદ્રા, જસવંતપુરાકંપા, કિડી, જાલમપુર, કાશીપુરા, રામપુરા, કનાલ, કંજોડીયા અને કિશોરપુરા અને ભિલોડાનાં ટાકાટુકા, પાદરા, કલ્યાણપુરા, જાયલા, ઉબસલ,બોલુન્દ્રા, મઠ, કમઠાડીયા, બાવળીયા અને વજાપુર અને માલપુના અણિયોર, કોઠી, પરપોટીયા, ડામોરના મુવાડા, કોઠીયા, વાડીનાથના મુવાડા, ખલીકપુર, વાકાનેડા,સુવરચાર અને વિરણીયા અને બાયડના રણેચી, રડોદરા, કાદવીયા, ટોટુ, લાલપુર, હેમાત્રાલ, જુમાત્રાલ, દહેગામડા, સીમલજ અને નાંભેલા ગામને આ સેવાનો લાભ મળશે. મોડાસાના મોટી ઇસરોલ, નાની ઇસરોલ, જીતપુર, સુરપુર,માધુપુર,રાજલી, ભીલકુવા, વાઘોડીયા, ઉમેદપુર અને જીવણપુરનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution