આણંદ : શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે એક હજાર ચો.ફુટના વિસ્તારમાં આધુનિક મોલેકયુલર બાયોલોજીકલ લૅબ કાર્યરત કરાઇ છે. જીલ્લામાં એકમાત્ર સગવડ તરીકે મોલેકયુલર ડાયગ્નોસિસમાં જેવા કે હિપેટાઇસ બી, હિપેટાઇસ-સી, શ્વસનને લગતા રોગો, એચઆઇવી પોઝીટીવ અને કેન્સરના રોગ અને વારસાગત રોગ વગેરેનું નિદાન કરાય છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન તથા શ્રી નારાયણમૂર્તિના સહયોગથી કાર્યરત કરવામાં આવેલ આ લેબ ખાતે દરરોજના લગભગ ૯૬ જેટલા સેમ્પલનું નિદાન કરી શકાશે. ધી હીલિંગ ટ્રી હોમ કેર સર્વિસિસ મારફતે પણ ઘરબેઠાં લેબ ટેસ્ટીંગ સેમ્પલની સગવડ સાથે ૧૨ કલાકમાં રિપોર્ટની સુવિધા અપાય છે.