રામ મંદિરન શિલાન્યાસની તડામાર તૈયારી શરુ, અનેક VIPઓને આમંત્રણ
20, જુલાઈ 2020

દિલ્હી-

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમીનની પૂજા કરશે. જોકે, વડા પ્રધાન કાર્યાલય  દ્વારા હજી આની પુષ્ટિ થઈ નથી. સુત્રોના જણાવ્યા અનુસાર રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓને બોલાવવામાં આવશે.  આ ઉપરાંત રામ મંદિર આંદોલનમાં સક્રિય રહેલા ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ૠતુંભરાને પણ આમંત્રિત કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) વતી, આલોકકુમાર અને મિલિંદ પરંદા કાર્યક્રમમાં રહેશે. સંઘના વડા મોહન ભાગવત અને અન્ય વરિષ્ઠ નેતાઓ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પચાસથી વધુ વીઆઈપી રહેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ આમંત્રિત કરવામાં આવશે. સામાજિક અંતર અનુસરશે. અયોધ્યાના પાંચથી છ વિસ્તારોમાં મોટી સ્ક્રીનો લગાવવામાં આવશે જેથી ભક્તો પણ ભૂમિપૂજન કાર્યક્રમ જોઈ શકે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution