નવસારી નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું: ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો
07, ઓગ્સ્ટ 2021

નવસારી-

નવસારી નજીક આવેલા ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવતા રેલવે ટ્રેક પર કોઈકે લોખંડની એંગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનું કાવતરૂ રચ્યુ હતુ. ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે બાજુના ટ્રેક પર લોખંડની એંગલ જોઈ નવસારી સ્ટેશન માસ્તરને જાણ કરાતા મેમુ ટ્રેનને અટકાવી દેવામાં આવી. ટ્રેનના ડ્રાઈવરે નીચે ઉતરી ટ્રેક પર પડેલી એંગલને સાઈડ ટ્રેક પર ખસેડી ટ્રેન આગળ રવાના કરી હતી. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો હતો. નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું, જેને લઈ રેલવે પ્રસાશન હરકતમાં આવ્યું છે અને રેલ્વે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી રેલવે ટ્રેક પર એંગલ મુકીને ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું, જો કે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution