ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના, 17 કર્મચારીઓ ઝપેટમાં
31, માર્ચ 2021

ગાંધીનગર

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય છે. અમદાવાદના આઇઆઇએમ, આઇઆઇટી, જીટીયૂ બાદ હવે ગાંધીનગર સર્કિટ હાઉસના કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં કર્મચારીઓ પોઝિટિવ આવતાં વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

જોકે કોરોના સંક્રમણના વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે. સંસ્થાઓએ કોરોનાકાળમાં ચૂંટણી ન યોજવાની સરકારને અપીલ કરી છે.

પરંતુ તેમની અપીલ પર કોઇ ધ્યાન ન આપવામાં આવ્યું ન હતું. રાજ્યમાં નગરપાલિક તથા પંચયતોની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધી ગયું છે. હવે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ સરકારના ઘણા અધિકારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેના લીધે વહિવટીતંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution