કોરોના ઇફેકટ: જન્માષ્ટમીમાં યોજાનારો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રદ
23, જુલાઈ 2020

રાજકોટ-

કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. ત્યારે હજુ પણ ભારતમાં કોરોના સતત પોઝિટિવ કેસમાં વધારો થયો છે. હાલ અનલોક 2 જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અનલોક 2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેને લઇને કોરોના વાઇરસ ખૂબ જ સહેલાઈથી ફેલાઈ રહ્યો છે.

કોરોના વાઇરસ મહામારીના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થતો જાય છે. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોનો માહોલ શરૂ થયો છે. જેમાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં ભરાય છે. જે રદ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં યોજાતા ખાનગી મેળાઓ પણ રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સો જેટલા નાના મોટા લોકમેળાઓનું આયોજન થાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકમેળા નહીં યોજવાનું વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution