દ્વારકા, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. ૪-૧૧-૨૦૨૧ ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે.સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે.દ્વારકાધિશ મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે. 

તા. ૪ નવેમ્બરને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.૫નવેમ્બરને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે ૬ કલાકે મંગલા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે ૯.૪૫ કલાકે મંદિર બંધ થશે. તા. ૬ નવેમ્બરને શનિવારે સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ દર્શન કલાકે મંદિર બંધ થશે. સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે.