દ્વારકા, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે. તા. ૪-૧૧-૨૦૨૧ ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે.સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે.દ્વારકાધિશ મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.
તા. ૪ નવેમ્બરને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.૫નવેમ્બરને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે ૬ કલાકે મંગલા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે ૯.૪૫ કલાકે મંદિર બંધ થશે. તા. ૬ નવેમ્બરને શનિવારે સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ દર્શન કલાકે મંદિર બંધ થશે. સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments