માંડવી, માંડવીનાં સાલૈયા ગામ ખાતે ખેતરની પાળ ખોદી કાઢતા બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. એક દ્વારા બીજા વ્યક્તિને ધક્કો મારી ગબડાવી પાડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું. માંડવી તાલુકાનાં સાલૈયા ગામ ખાતે રહેતા જાનસિંગભાઈ કંહાજીભાઈ ચૌધરી (ઉં.વ. ૫૫) તેમના ઘરની બાજુમાં આવેલ ખેતરમાં ગયા હતા. ત્યારે એમના કાકાનાં દીકરા ગીરીશભાઈ કસંજીભાઈ ચૌધરી એ તેઓનાં ખેતરની વચ્ચે આવેલ માટીનાં પાળાને ખોદી કાઢતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગિરિશે જાનસિંગભાઈને ધક્કો મારતા તે બંને હાથ પહોળા કરી ઉબડા પડી ગયા હતા. જેથી તે બેભાન થઈ જતા અને તેમના મોઢામાંથી પાણી નીકળતા તેમને સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. પરંતુ ફરજ પરનાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments