ગાંધીનગર, ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ માટે દેશની ૧૪ હજાર આઈટીઆઈમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૧ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી છે. જેમા ગુજરાતના ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સમાવેશ થયો છે, જે ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે. સુરેન્દ્રનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર દીપકકુમાર રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ ડીપાર્ટમેન્ટ દ્વારા દેશની ૧૪,૦૦૦ આઈટીઆઈમાંથી શ્રેષ્ઠ કામગીરી અંગે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કૌશલાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કૌશલાચાર્ય એવોર્ડ માટે દેશભરમાંથી માત્ર ૧૧ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના જ ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી થઇ છે.ગુજરાતના ચારેય સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપકકુમાર નારાયણભાઇ રાઠોડ ઉપરાંત રાજકોટ આઈટીઆઈના ઇલેક્ટ્રિશીયન ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર દીનેશભાઈ બી ઠકરાર, વડોદરા તરસાલી આઈટીઆઈના ફીટર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર કંચન ટી વસાવા અને વડોદરા દશરથ આઈટીઆઈના ડીઝલ મિકેનિકલ ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર બિપીનભાઇ ટી કાશવાલા એમ મળી કુલ ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તા ૧૭-૯-૨૧ના રોજ નવી દિલ્હી ખાતે વર્ચુઅલ પ્રોગ્રામ યોજી ગુજરાતમાં દ્ગૈંઝ્ર સેન્ટર, અમદાવાદ ખાતે કૌશલાચાર્ય એવોર્ડ ૨૦૨૧ એનાયત કરાયા હતા.“રોજગાર સેતુ” પ્રોજેકટના પરિણામલક્ષી માધ્યમ દ્વારા તથા મહતમ યુવાનોને મળેલા માર્ગદર્શનના ફળસ્વરૂપે યુવાનો યોગ્ય રોજગારી મેળવવા સક્ષમ બન્યા. રાજ્યભરના વિવિધ કાર્યક્રમો હેઠળ સરકારી વિભાગોમાં વિવિધ સંવર્ગમાં પસંદગી પામેલા તથા રોજગાર કચેરીઓ દ્વારા યોજાતા ઓનલાઈન ભરતી મેળામાં ખાનગીક્ષેત્રમાં પસંદગી પામેલા ઉમેદવારોનો સમાવેશ કરી કુલ ૫૭,૬૩૬ યુવાનોને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મહતમ ૩૧,૦૮૪ યુવાનોને નિમણુકપત્રો આપવામાં આવ્યા છે.

રોજગાર કચેરીઓ મારફતે રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળથી પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૮ માટે રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં આપેલ ૪ લાખ અને ૪ હજાર યુવાનોને રોજગારીમાંથી ગુજરાત રાજ્યએ ૩ લાખ ૪૨ હજાર યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યુ છે. એટલુ જ નહિ, ગુજરાતનો બેરોજગારીનો દર પણ અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી નીચો છે. ભારત સરકારના આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળથી પ્રસિદ્ધ થયેલ જુલાઈ- ૨૦૧૯ થી જુન- ૨૦૨૦ સમયગાળામાં હાથ ધરાયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.